બીમારીને અને કમાઈને કોઈ લેવા દેવા ખરા ? Bimarine Ane Kamaine Koi Leva Deva Khara in Gujarati
Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf
જેટલું ભાગવું હોય એટલું ભાગી લે કર્મ તારો પીછો મૃત્યુ પામીશ ત્યાં સુધી કરશે .
એક મધ્યમવર્ગીય
સુખી પરિવાર હતો. ઘરમાં માત્ર ત્રણ જ સભ્ય રહેતા હતા . માતા – પિતા અને પુત્ર .
ત્રણે શાંતિથી જીવન પસાર કરી રહ્યા હતા . જે છોકરો હતો એ એલ એલ બી ( વકીલ ) નો
અભ્યાસ કરી રહ્યો હતો . બે વર્ષ તો પુરા થઇ ગયા બસ ત્રીજું વર્ષ છેલ્લું વર્ષ બાકી
રહ્યું હતું પૂરું કરવામાં . સમય જતા એ છેલ્લું વર્ષ પણ પૂરું થઇ ગયું . સારી એવી
મહેનત કરી હતી એટલે સારા એવા માર્ક્સ પણ આવ્યા . હવે પિતાને ચિતા ઓછી થવા લાગી ,
મારો છોકરો હવે કમાવવા લાગશે મારે એટલો ભાર ઓછો ઘર ચલાવવાનો . વિચારું છું સમય જતા
બધું એને સોપી દઉં અને હું રીલેક્સ થઇ જાઉં . પણ કહેવાય છે નશીબથી કોઈ ચડિયાતું
નથી . એવું જરૂરી પણ નથી કે જીવનમાં જે ધારો એ બધું થઇ જ જાય . જો એવું થાતુ હોત
તો જીવનમાં બધા લોકો સુખી ના હોત .
એ છોકરાઓ એના કોઈ
ઉપરી અધિકારી સાથે કામ શીખવા લાગ્યો . કેવી રીતે કેસ લડી શકાય , એમાં આવતી સમસ્યાઓનો
ઉકેલ કેવી રીતે મેળવી શકાય વગેરે વગેરે વિવિધ પ્રકારના પ્રશ્નો વિષે જાણવા લાગ્યો .
જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેના વિષયમાં નિપુણ થતો ગયો . હવે વારો હતો પોતાની
ખુરશી પર બેસવાનો એટલે કે પોતાનો જ વ્યવસાય શરુ કરવાનો .
કોઈ માણસ ક્યાંસુધી બીજાની નીચે કામ કરે , એક ના એક દિવસ તો એ પોતાનો અલગ વ્યવસાય કરવાનો જ . એટલે
આ ભાઈએ પણ આવું જ કર્યું . એને આજીવન વકીલ તરીકેનું આઈ ડી કાર્ડ બની ગયું હતું .
પોતાનો હોદો જ્યારે મળી જાય ત્યારે કોણ ના સંભાળે . એટલે આ પોતાની ખુરશી પર આખરે
બેસી જ ગયો .
શરૂઆતમાં આ ભાઈએ
કામ સારું એવું કર્યું પણ જેમ જેમ પૈસા આવતા ગયા તેમ તેમ આ ભાઈનું અહં વધતો ગયો .
દિવસે ને દિવસે અહંકારના વશમાં થવા લાગ્યો . ઘમંડી એટલો તો થઇ ગયો હતો કે એ જે કરે
એ બધું સાચું બીજા જે કરે એ બધુ ખોટું . એટલું જ નહિ એને જે વ્યક્તિ સાથે નીચે કામ
કર્યું હતું એને પણ નીચો પાડી દીધો બધાની સામે . પણ કહેવાય છે મહેનતના પૈસા જ તકે
બાકી બધા દવા દારૂમાં જ જાય , બસ અહી પણ એવું જ થાય છે .
આ ભાઈનું કામ જ
એવું તો થઇ ગયું હતું કે બસ લોકને ખંખેરી લેવાના . કોણ ગરીબ , કોણ મધ્યમવર્ગી કે
કોણ પૈસાદાર એ નહિ જોવાનું પૈસા ક્યા વધારે મળે ત્યાં ધંધો કરવાનો . ન્યાયની દેવી
પણ વિચારતી હશે મારા દરબારમાં આવા કેટલા લોકોનો કાફલો છે .
હવે થયું એવું કે
શરુ શરુ માં તો પૈસાનો ઢગલો થઇ ગયો પણ પછી એમના પરિવારમાં એને એવી તો બીમારીઓએ
જકડી લીધો કે મહિનાઓ સુધી બહાર જ ના આવી શક્યો . અને દવાઓમાં એવો તો જકડાઈ ગયો કે
જમવાનું પણ ઝેર લાગવા લાગ્યું . દવાઓ તો ઝેર જેવી કડવી હોય પણ જ્યારે જમવાનું પણકડવું લાગવા માંડે ત્યારે માણસ જીવે કેવી રીતે .
કહેવાય છે ને લોકોની
બદ્દુઆ લાગે ત્યારે માણસ ના તો મરી શકે ના તો સરખું જીવી શકે . પારકું ધન હંમેશા
પચવામાં નડતરરૂપ સાબિત થતું હોય છે . માટે અહી કહેવાય છે કે ભલે મહેનતનો પૈસો ઓછો
હોય પચે છે સારો . એટલે કે માણસ ભલે ભોગવિલાસના સાધનથી દુર હોય પણ શારીરિક રીતે
કોઈ તકલીફ હોતી નથી . ટૂંકમાં કહીએ તો એ પીડાતો નથી .
એ ભાઈએ તો કેટલાય
ડોકટરો પણ બદલ્યા પોતાની બીમારી માટે તો પણ ડોકટર પણ શું કરે એક બીમારી હજુ તો પતિ
જ હોય ત્યાં બીજી બીમારીએ ઘર કરી લીધું હોય . શું કરે એ ભાઈ જીવનમાં આ બીમારીના
કારને એટલો બધો તો કંટાળી ગયો હતો કે મારવાના વિચાર સુધી આવી ગયા હતા . પછી પાડોશમાંરહેતા એક બેનને એમના પર દયા આવી તો કોઈ જાણીતા મહારાજનો સંપર્ક કરાવ્યો . અને કીધું
ભાઈ તમે થોડા દિવસ અ મહારાજના પ્રવચન સાંભળો જો યોગ્ય લાગે તો એમને માળો અને તમારી
બીમારી વિષે જણાવો .
જેમ કીધું એમ આ
ભાઈએ બધું કર્યું . પહેલા એમના પ્રવચન સાંભળ્યા પછી થયું કે લાવ આ મહારાજને મારી
બીમારી વિષે કહું જાણું કે શું કહે છે એ મહારાજ .
પછી એ ભાઈ મહારાજ
પાસે પોતાની વાત લઈને જાય છે અને કહે છે મહારાજ મારે આ રીતની તકલીફ છે મેં ઘણાખરા
ડોકટરોને બતાવ્યું પણ કોઈ ફેર લાગતો નથી તમારી આશે આશા લઈને આવ્યો છું નિરાશ ના
કરતા .
પછી મહારાજે એમની
બધી વાત જાની અને કહ્યું
દીકરા સાંભળ તારો
જે વ્યવસાય છે એ કાળા કપડાનો છે . માટે તું જે કેસ હાથમાં લે અને જેટલા પૈસા મળેએમાં ખુશ રહે વધારે લોભ રાખીશ નહિ . બસ આજથી એટલી વાત મન પછી તારી બીમારી તને કોઈ
દિવસ પીછો નહિ કરે .
પછી શું થોડા દિવસ
પછી એ ભાઈને સારું થવા લાગ્યું . જે વ્યવસાય હતો એમાં પણ લોકોની મદદ સાથે કોઈ પણ વધારાના
પૈસાને હાથ પણ નતા અડાડતો . ફરી પાછી ગાડી પાટા પર આવવા લાગી . ત્યારે તેને
સમજાયું કોઈ દિવસ જીવનમાં એટલા લોભી પણ ન બનવું જેના લીધે લોકો તેને બદુઆ આપે .
બોધ : આ વાર્તાના આધારે એ સીખવા મળે છે કે લોકોની કોઈ દિવસ બદુઆ ના લેવી કેમ કે દુઆની અસર જેટલી થાય એના ડબલ તો બદુઆની અસર વહેલા થાય છે . જીવનમાં વધારાની આવક કોઈ દિવસ નથી પચતી .
0 ટિપ્પણીઓ